આજે અખાત્રીજ, સોનું-ચાંદી,મિલકત ખરીદવાનો શ્રેષ્ઠ દિવસ
Live TV
-
આજે અખાત્રીજ છે. અખાત્રીજ સવારે 3.18 કલાકથી બુધવારના વહેલી સવારના 2 વાગ્યે અને 16 મિનિટ સુધી છે. અખાત્રીજને સોનું, ચાંદી, મિલકત, વાહન વગેરેની ખરીદી માટે શુભ માનવામાં આવે છે. સોની બજારના વેપારીઓ અખાત્રીજને વધાવવા સજ્જ બન્યા છે.
અખાત્રીજના દિવસે લોકો સોનાના ઘરેણા સિક્કા, ચાંદીની મૂર્તિ, વીંટી, વાહન, મકાન-મિલકત ખરીદે છે. ગત વર્ષની તુલનામાં સોનાનો ભાવ આ વર્ષે થોડો ઓછો હોવાથી વેપારીઓને સારા ધંધાની આશા છે. એક અહેવાલ પ્રમાણે અમદાવાદમાં 100 કરોડથી વધુ અને રાજ્યમાં 350 કરોડનો વેપાર થાય છે.
આજના દિવસે ઉપવાસ, દાન અને હવનનું પણ ખાસ મહત્વ છે. આજના દિવસે જ તીર્થધામ બદરીનાથ અને કેદારનાથના કપાટ ખુલે છે. આજના દિવસે સોના પરની ખરીદીમાં જ્વેલર્સની દુકાનો પણ ખાસ ડિસ્કાઉન્ટ આપતી હોય છે.