ભારતમાં રેલવે સ્ટેશનોના વિકાસ માટે સાત લાખ યુરો આપશે ફ્રાંસ
Live TV
-
ભારતીય રેલવે સ્ટેશન વિકાસ નિગમ અને ફ્રાંસની રેલવે અને ફ્રાંસની વિકાસ એજન્સી વચ્ચે ત્રિપક્ષીય સમજૂતિ
ભારતીય રેલવે સ્ટેશન વિકાસ નિગમે સોમવારે ફ્રાંસની રાષ્ટ્રીય રેલવે(SNCF) અને ફ્રાંસની વિકાસ એજન્સી (AFD) સાથે ત્રિપક્ષીય સમજૂતિ કરી છે..જે અંતર્ગત ભારતમાં રેલવે સ્ટેશનોના વિકાસ કાર્યક્રમ માટે સાત લાખ યુરોનું અનુદાન ભારતને મળશે..આ સમજૂતિ પર રેલરાજ્ય મંત્રી સુરેશ અંગાડી , યુરોપ તથા વિદેશ મામલાના ફ્રાંસના રાજ્યમંત્રી જીન બૈપ્ટિસ્ટ લેમૉયને, ભારતમાં ફ્રાંસના રાજદૂત એલેક્ઝાન્ડર જીગ્લર અને ફ્રાંસ દૂતાવાસ તથા ભારતીય રેલવેના અન્ય વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા..