મધ્યપ્રદેશ-CMના અંગત સચિવની નિવાસસ્થાને આવકવેરા વિભાગના દરોડા
Live TV
-
અંગત સચિવ પ્રવીણ કક્કર અગાઉ પોલીસ અધિકારી હતા.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના અંગત સચિવ પ્રવીણ કક્કરના નિવાસસ્થાન ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગના 15 સભ્યોની ટીમ ગઈકાલે ત્રણ વાગે પ્રવીણ કક્કરના ઘરે પહોંચી હતી. તેઓએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ઘણા લાંબા સમય સુધી પ્રવીણ કક્કરની આર્થિક ગતિવિધિની માહિતી એકત્રિત કર્યા બાદ આ દરોડો પાડવામાં આવ્યો છે. વિભાગને અહીંથી મોટી માત્રામાં બિનજાહેર આવક મળવાની સંભાવના છે. પ્રવીણ કક્કર અગાઉ પોલીસ અધિકારી હતા. સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ બાદ તેઓ પૂર્વ કેન્દ્રિય મંત્રી કાંતિલાલ ભૂરિયાના અંગત સચિવ રહી ચૂક્યા છે