Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં 24 કલાક બજારો ધમધમશે, કેબિનેટમાં લેવાયો નિર્ણય

Live TV

X
  • ગુજરાતને બિઝનેસ ફ્રેન્ડલી બનાવાશે, 15મી ફેબ્રુઆરીથી જળસંચય અભિયાન શરુ થશે

    આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગુજરાત સરકારની મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. આગામી 18 ફેબ્રુઆરીથી બજેટ સત્ર શરૂ થવાનું છે ત્યારે આજની બેઠકમાં મંત્રીમંડળ દ્વારા કેટલાક સાંપ્રત મુદ્દે વિચારણા હાથ ધરાઈ હતી. તેમાં બજેટ સત્ર સંદર્ભે વિચારણા થઈ હતી. રાજ્યમાં સ્વાઇન ફ્લૂની પરિસ્થિતિ સંદર્ભે આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલાં પગલાંની જાણકારી મેળવાઈ હતી. તો ઉનાળામાં સંભવિત જળસંકટની સ્થિતિ, ખેડૂતોની ટેકાના ભાવ સહિતની માગણીઓ પર પણ ચર્ચા થઈ હતી.માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે જણાવ્યુ હતુ કે રિટેલ બજારો હવે 24 કલાક ખુલ્લા રાખી શકાશે..ગુજરાતને બિઝનેસ ફ્રેન્ડલી બનાવવાના આશયથી આ નિર્ણય લેવામાં આવ્યો છે..તેમણે જણાવ્યુ કે જ્યા 100 થી વધુ કર્મચારીઓ કામ કરતા હોય ત્યાં જે તે ઉદ્યોગોએ કેન્ટીંનની સુવિધા આપવાની રહેશે.બજારો 24 કલાક ખુલ્લા રાખવા અંગેની અધિસૂચના ટૂંકમાં જાહેર કરાશે..સમય મર્યાદા નક્કી કરવાનો અધિકાર જિલ્લા કલેક્ટર તેમજ ડીએસપી પાસે રહેશે..રાજ્યમાં 14 હજાર જેટલા તળાવોને ઉંડા કરવામાં આવ્યા છે..સરકાર ખેડૂતો માટે સતત કામ કરી રહી છે..બે રૂપિયા કિલો ઘાસચારો આપવામાં આવી રહ્યો છે..જળસંયય અભિયાનમાં સરકાર 60 ટકા ગ્રાન્ટ આપશે..રાજ્ય સરકાર આગામી 15 ફેબ્રુઆરીથી જળ સંચય અભિયાન શરૂ કરશે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply