લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા બિઝનેસ ડેવલપમેન્ટ સેમિનારનું કરાયું આયોજન
Live TV
-
આ સેમિનારમાં કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ ઔદ્યોગિક વિકાસને લઈને વિવિધ મુદ્દે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લા પાસે વિકાસની પુષ્કળ તકો છે. આ જિલ્લામાં ખેતીક્ષેત્રથી લઈને પોર્ટનો વિકાસ ખુબ મોટાપાયે થઈ શકે તેમ છે.
અમરેલીમાં લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા બિઝનેસ ડેવલપમેન્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ ઔદ્યોગિક વિકાસને લઈને વિવિધ મુદ્દે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લા પાસે વિકાસની પુષ્કળ તકો છે. આ જિલ્લામાં ખેતીક્ષેત્રથી લઈને પોર્ટનો વિકાસ ખુબ મોટાપાયે થઈ શકે તેમ છે. PM મોદીનું વિઝન ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ સાથે ઈઝ ઓફ લિવિંગનું પણ છે. દરેક લોકોનું જીવન સરળ બને અને સર્વાંગી વિકાસ થાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે. આ સેમિનારમાં ઉદ્યોગકારોએ તેમના પ્રશ્નો રજુ કરતાં કેન્દ્રીય મંત્રીએ સંતોષકારક જવાબ આપ્યો હતો