JOBS : રેલવેમાં 2.30 લાખ કર્મચારીઓની કરાશે ભરતી, યુવાઓને મળશે રોજગાર
Live TV
-
આગામી બે વર્ષમાં અઢી લાખ કર્મચારીઓ સેવા નિવૃત્ત થશે
રેલવેમંત્રી પિયુષ ગોયલે કહ્યુ છે કે આગામી બે વર્ષમાં રેલવેમાં ચાર લાખ કર્મચારીઓની ભરતી કરાશે..રેલમંત્રીએ કહ્યુ હતુ કે વર્ષ 2019માં છ મહિનામાં વિભિન્ન વિભાગોમાં 84 ટકા રોજગારીના અવસર પેદા થવાની શક્યતા છે..બુધવારે એક મુલાકાતમાં રેલમંત્રીએ કહ્યુ હતુ કે રેલવેમાં દોઢ લાખ વધારાના પદો પર ભરતી કરવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે..આગામી બે વર્ષમાં અઢી લાખ કર્મચારીઓ સેવા નિવૃત્ત થશે..એટલે એ રીતે રેલવે ચાર લાખ યુવાઓને રોજગારી પ્રદાન કરશે..આ ભરતી પ્રક્રિયામાં સામાન્ય કેટેગરીના ઉમેદવારોને 10 ટકા આર્થિક અનામતનો લાભ પણ આપવામાં આવશે..આ ભરતી પ્રક્રિયા બે તબક્કામાં વર્ષ 2021 સુધીમાં પૂર્ણ કરાશે..