SC અને ST સમુદાયના યુવાનોને ઉદ્યોગસાહસિક બનાવવા સરકાર કટિબદ્ધ
Live TV
-
કેન્દ્રીય પેટ્રોલિયમ અને સ્ટીલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે, સરકાર અનુસૂચિત જાતિ અને જનજાતિઓને શિષ્યવૃત્તિ અને અનામત આપવા ઉપરાંત તેમને ઉદ્યોગસાહસિક બનવા માટે સશક્ત બનાવી રહી છે.
નવી દિલ્હીમાં આજે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉદ્યમીઓ માટે પેટ્રોલિયમ અને સ્ટીલ ક્ષેત્રના વિશેષ રાષ્ટ્રીય વિક્રેતા વિકાસ કાર્યક્રમમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને સ્ટીલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે ડો. ભીમરાવ આંબેડકરના વિચારોથી પ્રેરિત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનુસૂચિત જાતિ, જનજાતિ સમુદાય અને લઘુમતી સમુદાયના યુવાનોમાં ઉદ્યોગસાહસિક ભાવનાને પ્રોત્સાહન આપવા, તેમણે સૌનો સાથ, સૌનો વિકાસની ભાવના અને સૌના વિશ્વાસ સાથે કામ કર્યું છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ અને સ્ટીલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કલ્પના કરી હતી કે આ સમુદાયોના લોકોએ નોકરી મેળવવાને બદલે ધંધાનો માલિક હોવું જોઈએ. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભારત વૈશ્વિક સ્તરે સકારાત્મક કાર્ય કરીને એક નવો આદર્શ સ્થાપિત કરી રહ્યો છે.