પ્રાથમિક શિક્ષકોનો ગ્રેડ પે ઘટાડવાનો પરિપત્ર હાલ પૂરતો સ્થગિત, શિક્ષણમંત્રીની જાહેરાત
Live TV
-
રાજ્યના પ્રાથમિક શિક્ષકોનો ગ્રેડ પે ઘટાડવાનો પરિપત્ર હાલ પૂરતો સ્થગિત - શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત - રાજ્યના 65 હજાર જેટલા શિક્ષકોને મળશે લાભ
રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષકોનાં 2800ના પે ગ્રેડના પરીપત્રને મોકુફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈને રાજ્યમાં 65 હજાર કરતા વધારે શિક્ષકોને રાહત થઇ છે. રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષકોના 2800ના પે ગ્રેડના પરીપત્રની જાહેરાત કરવામાં આવી હતી.
જેને ગુજરાત પ્રાથમિક શિક્ષણ સંઘ અને ગુજરાત શિક્ષક મહાસંધ દ્વારા શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને આજે રાજ્ય સરકાર દ્વારા 25-6-2019 ના પરિપત્રને રદ્દ કરવામાં આવ્યો છે. આ અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, કોઇનું પણ અહિત ના થાય તેનું રાજ્ય સરકાર દ્વારા ધ્યાન રાખવામાં આવ્યું છે.