કુખ્યાત આતંકી જલીસ અંસારી ઉર્ફે Dr Bomb પેરોલ સમયે ફરાર
Live TV
-
જાલીસ અન્સારી રાજસ્થાનની અજમેર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યાં હતા.
દેશનો કુખ્યાત આતંકવાદી ડો.જલીસ અંસારી ઉર્ફે Dr Bomb પેરોલ સમયે ગુમ થઈ ગયો છે, જેને પગલે મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર ATSએ તેની શોધખોળ હાથ ધરી છે.ગયા વર્ષે 26 ડિસેમ્બરે તેમને મુંબઈની આર્થર રોડ જેલમાં ખસેડવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ પર, તેમને 21 દિવસ માટે પેરોલ મળ્યો હતો અને તે મુંબઈના અગ્રિપાડા સ્થિત તેના ઘરે પરિવાર સાથે ગયા હતા. પરિવાર સાથેના કેટલાક વિવાદના કારણે તે 16 મી સવારથી ગુમ હતા. અગરીપાડા પોલીસે તેના ગુમ થયાની ફરિયાદ નોંધી છે અને પોલીસ સંપૂર્ણ તાકાતે તેની શોધ કરી રહી છે. 26 જાન્યુઆરીએ ધ્યાનમાં રાખીને ડીસીપીએ કહ્યું કે તેની ખૂબ જ ગંભીરતાથી શોધ કરવામાં આવી રહી છે.