ચીન સાથે ચાલી રહેલા ડોકલામ વિવાદ અંગે દહેરાદુન ખાતે ગઈકાલે કેન્દ્રિય સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે, અમે ડોકલામમાં કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર અને સજાગ છીએ. ઉપરાંત ભારતીય સેનાને આધુનિક સાધનોથી સજ્જ કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ભારતીય સેના પ્રાદેશિક અખંડિતતા જાળવી રાખશે.