અમિતાભ બચ્ચનનું પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે એવોર્ડથી આજે સન્માન
Live TV
-
દિલ્હી ખાતે યોજાશે સમારોહ
હિન્દી ફિલ્મ જગતના મહાનાયક અમિતાભ બચ્ચનને આજે દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત થનાર એક કાર્યક્રમમાં અમિતાભ બચ્ચનને વર્ષ 2018 નો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર પ્રદાન કરશે. ફિલ્મ જગતમાં ઉલ્લેખનીય યોગદાન બદલ અમિતાભ બચ્ચનને ભારતીય ફિલ્મ જગતના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે.