મહીસાગરમાં 'મહીના જળભીનાં' શબ્દ કવિ સંમેલન યોજાયું
Live TV
-
મહીસાગર સાહિત્ય સભા, સાહિત્ય -સરિતા મુંબઈ અને શ્રી મહાકાલ કોમ્યુનિકેશનના સંયુકત ઉપક્રમે લુણાવાડા લાલ સિંહજી પુસ્તકાલય હૉલ ખાતે ગુજરાતી કવિતાની સાંપ્રત પરિસ્થિતિ અંગે જાણીતા સાહિત્યકાર મણિલાલ હ. પટેલનું માનનીય વક્તવ્ય અને 'મહીના જળભીનાં' શબ્દ કવિ સંમેલન યોજાયું
મહીસાગર સાહિત્ય સભા, સાહિત્ય -સરિતા મુંબઈ અને શ્રી મહાકાલ કોમ્યુનિકેશનના સંયુકત ઉપક્રમે લુણાવાડા લાલ સિંહજી પુસ્તકાલય હૉલ ખાતે ગુજરાતી કવિતાની સાંપ્રત પરિસ્થિતિ અંગે જાણીતા સાહિત્યકાર મણિલાલ હ. પટેલનું માનનીય વક્તવ્ય અને 'મહીના જળભીનાં' શબ્દ કવિ સંમેલન યોજાયું. જેમાં જાણીતા કવિઓ મણિલાલ હ.પટેલ, રમેશ ઠક્કર, પ્રતાપસિંહ ડાભી - "હાકલ", પ્રીતિ શર્માએ કાવ્યપાઠ કર્યો. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર આર.બી.બારડ અને રાજવી પરિવારના પુષ્પેન્દ્રસિંહજી સહિત મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા