સાહિત્યકાર મોહમ્મદ માંકડને ગૌરવ પુરસ્કારથી કરાયા સંમાનિત
Live TV
-
જાણીતા સાહિત્યકાર મોહમ્મદ માંકડને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત રમત ગમત સાંસ્કૃતિક વિભાગના દ્વારા ગૌરવ પુરસ્કારથી સંમાનિત કરવામાં આવ્યાં છે. . આ 92 વર્ષીય મોહમ્મદભાઈને તકલીફ ના પડે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વયં તેમના ઘરે જઇને સંમાન કર્યું હતું.
જાણીતા સાહિત્યકાર મોહમ્મદ માંકડને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત રમત ગમત સાંસ્કૃતિક વિભાગના દ્વારા ગૌરવ પુરસ્કારથી સંમાનિત કરવામાં આવ્યાં છે. . આ 92 વર્ષીય મોહમ્મદભાઈને તકલીફ ના પડે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વયં તેમના ઘરે જઇને સંમાન કર્યું હતું. જેમા મુખ્યમંત્રી દ્વારા મોહમ્મદભાઈ માંકડને એક લાખ રૂપિયાની ધનરાષી, શાલ અને સ્મૃતિ ચિન્હ આપીને સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ મિસ્ટ્રી ઓફ ટાઈમ પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતુ કે, 12 કરોડ રૂપિયા દ્વારા રાજ્ય સરકાર દ્વારા અકાદમી ભવનનુ નિર્માણ કરવમાં આવશે. જેનાથી ભવિષ્યની પેઢીને પ્રેરણા મળે તેમજ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં પણ ગુજરાતી ભાષાને ફરીજિયાત કરી છે. તેમજ વાંચે ગુજરાતને 10 વર્ષ પુરા થવા જઇ રહ્યા છે ત્યારે તેની ઉજવણીની પણ તૈયારી કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન વિષ્ણુ પંડ્યા અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાં હાજર રહ્યાં હતા.