આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં યોજાયો ફૂડ પ્રોસેસિંગ સંશોધનો પર કાર્યક્રમ
Live TV
-
આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે ફૂડ પ્રોસેસિંગ અને મિલ્ક પ્રોડક્ટ પર કરવા માં આવતા સંશોધનો પર એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો ઉદેશ આ ક્ષેત્રે થતાં સંશોધનો ઉદ્યોગસાહસિકો સુધી પહોંચે અને તેના વ્યાપાર માં વધારો થયા તેવો છે. ફૂડ પ્રોસેસિંગ અને મિલ્ક પ્રોડકશ ના ક્ષેત્રે થતાં નવા નવા સંશોધન ની કાર્યક્રમ અંતર્ગત જાણકારી આપવા માં આવી હતી. આ કાર્યક્રમનો લાભ લેવા માટે રાજ્ય ના અલગ અલગ જિલ્લા ઓમાંથી આવેલ 75 જેવા ઉદ્યોગ સાહસિકો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં આણંદ કૃષિ યુનિવર્સિટી ના કુલ પતિ એન.સી.પટેલ તથા ડેરી સાયન્સ ના ડીન જે.બી પ્રજાપતિ ઉપસ્થિત રહ્યાં હતા