ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પક્ષીઓ માટે સરકાર અને સમાજ બન્યા સંવેદનશીલ
Live TV
-
રાજ્ય સરકાર અને સ્વંયસેવકો ઠેર-ઠેર ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે ઉભી કરાઈ સુવિધા
ઉતરાયણ નિમિતે દોરી થી ઘાયલ થતા પક્ષી ઓની સારવાર માટે જિલ્લા પંચાયત મહેસાણા, સામાજિક વનીકરણ વિભાગ તથા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી મહેસાણા ના સયુંકત ઉપક્રમે જિલ્લા માં પક્ષી સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર એચ.કે.પટેલ તથા જિલ્લા વિકાસ અધિકારી વાય.એમ.દક્ષિણી ના માર્ગ દર્શન અનુસાર પુરા જિલ્લા માં 24 કલાક વહીવટી તંત્ર દ્વારા વ્યયસ્થા શરૂ કરવામાં આવી છે. જિલ્લા પશુ ચિકિત્સક ડો.ભરત દેસાઇ ના જણાવ્યા અનુસાર જિલ્લામાં કુલ 10 તાલુકા મથકે એક તથા મહેસાણા ખાતે 3 એમ કુલ 13 કેન્દ્રો પર દરેક કેન્દ્ર પર 3 પશુ ચિકિત્સક 2 પશુધન નિરીક્ષક 5 આસિસ્ટન્ટ અને 10 સ્વયંસેવક ની ટિમ ગોઠવવામાં આવી છે આ ઉપરાંત જિલ્લામાં દસ ગામ દીઠ 1 મોબાઈલ પશુ દવાખાનું ઉપરાંત મહેસાણા ખાતે 2 મોબાઈલ પશુ દવાખાના ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધી માં કુલ 256 પશુ પક્ષી ને સારવાર આપી તેમનો જીવ બચાવી લેવાયો છે. આ કામગીરી 20 જાન્યુઆરી સુધી ઉપલબ્ધ રહેશે.