કલાનગરી વડોદરામાં મધર્સ ડે નિમિત્તે ,બ્રહ્માકુમારીઝની આર્ટ અને કલ્ચર વિંગના ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો
Live TV
-
કલાનગરી વડોદરામાં મધર્સ ડે નિમિત્તે ,બ્રહ્માકુમારીઝની આર્ટ અને કલ્ચર વિંગના ઉપક્રમે ,સંસ્થાના અટલાદરા કેન્દ્ર દ્વારા ,નૃત્ય, સંગીત, સંસ્કૃતિ અને આધ્યત્મિકતાના ,સુભગ સમન્વયનો કાર્યક્રમ યોજાયો હતો.આર્ટ અને કલ્ચર વિંગના નેશનલ કોઓર્ડીનેટર ,દયાલભાઈએ ,સંસ્થા દ્વારા નિશુલ્ક ચલાવાતા ,રાજયોગ વિશે ,માહિતી આપી હતી. તેના દ્વારા ,વ્યક્તિ તણાવમુક્ત અને વ્યસનમુક્ત રહી શકે, તેમ તેમણે જણાવ્યું હતું. વડોદરાના અતુલ પુરોહિત, આર.જે. ક્ષિતિજ, કુ.શ્રુતિ, નાટ્ય અકાદમીનાં ડીરેક્ટર ,સનત ભાઈ ,તેમજ પ્રસિધ્ધ તબલાવાદક ,પિનાંક ભટ્ટાચાર્યે, પોતાની આગવી શૈલીમા /સંગીત,નૃત્ય અને ગીતોની કલાકૃતિ દ્વારા ,પ્રેક્ષકોને આનંદથી ભાવવિભોર કાર્ય હતા. દિલ્હીના જગપ્રસિધ્ધ જયપુર ઘરાનાના પારુલ મિશ્રાજીએ ,શૃંગાર અને વિયોગની ભાવનાસભર ,સુંદર આધ્યાત્મિક કથક નૃત્યો રજુ કરી ,પ્રેક્ષકોનું મન પ્રફુલિત કર્યું હતું.