દરિયાકાંઠાની સુરક્ષાને મજબૂત કરવા સરકારનો નિર્ણય, DGP દ્વારા કરાશે મોનિટરિંગ
Live TV
-
દરિયાઈ સુરક્ષા વધારવા સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, રાજ્યના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારાની સુરક્ષાને વધુ સુદ્રઢ કરવા માટે તથા દરિયાઈ માર્ગે કોઈપણ પ્રકારની શંકાસ્પદ હેરાફેરી ન થાય તેને રોકવા માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
જેમાં દરિયાઈ સુરક્ષાનું સીધું મોનીટરીંગ હવે એડી ડી.જી.પી. અને ડી.જી.પી કક્ષાના અધિકારીની દેખરેખ હેઠળ રખાશે. તેમણે વધુમાં જણાવ્યું કે, હાલની મરીન ફોર્સ અને આઈ.જી.પી. કોસ્ટલ સીક્યુરીટીની જગ્યાઓ પર પણ A.D.G.P અને D.G.P.નું સીધું નિયંત્રણ રહેશે.