પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં શકમંદ છબીલ પટેલની અટકાયત કરવામાં આવી
Live TV
-
છબીલ પટેલ ન્યૂયોર્કથી પરત આવતા તેમની અટકાયત કરાઈ હતી. આ અટકાયત બાદ હાજર પોલીસ સ્ટાફ દ્વારા તેમને રાણીપ સ્થિત રેલ્વે એસપી કચેરીએ પૂછપરછ માટે લઈ જવાયા હતા.
અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં શકમંદ છબીલ પટેલની ગત મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી રેલ્વે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. છબીલ પટેલ ન્યૂયોર્કથી પરત આવતા તેમની અટકાયત કરાઈ હતી. આ અટકાયત બાદ હાજર પોલીસ સ્ટાફ દ્વારા તેમને રાણીપ સ્થિત રેલ્વે એસપી કચેરીએ પૂછપરછ માટે લઈ જવાયા હતા. ત્યારબાદ તેમને ભૂજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.