બનાસકાંઠા: દવાનો છંટકાવ કરી તીડનો નાશ કરાયો
Live TV
-
સતત 15 દિવસ સુધી નજર રાખવા સૂચના
બનાસકાંઠા જિલ્લાના સૂઈગામ પર પાકિસ્તાન અને રાજસ્થાન તરફથી તીડ ઝુંડનો હુમલો થવાની મળેલી ચેતવણી અનુસંધાને ગુજરાત સરકારના કૃષિ વિભાગના અધિકારીઓ દ્વારા સતર્કતાના ભાગરૂપે આ વિસ્તારોમાં દવાના છંટકાવ કરી આવા તીડનો નાશ કરવામાં આવ્યો છે. હાલ ઉભી થયેલી પરિસ્થિતિ બાબતે કૃષિમંત્રી આર.સી.ફળદુએ આ વિસ્તારની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં હાલ ખેડૂતોના પાકને કોઈ નુકસાન થયું હોય તેવા કોઈ અહેવાલ નથી. તેમજ આગામી સમયમાં ખેડૂતોના પાકને નુકસાન ના થાય તે માટે સતત 15 દિવસ સુધી તેના પર નજર રાખવા સૂચના અપાઈ છે.