Skip to main content
Settings Settings for Dark

બોટાદ: CM વિજય રૂપાણીએ સોનલ તળાવમાં નવા નીરના વધામણા કર્યા

Live TV

X
  • BAPS સ્વામિનારાયણના નવા મંદિરનું લોકાર્પણ કર્યું

    મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે બોટાદ જિલ્લાના પ્રવાસે છે.જ્યાં મુખ્યમંત્રીએ સૌથી પહેલા સૌની યોજના અંતર્ગત ઉગામેડી ખાતે સોનલ તળાવમાં નવા નીરના વધામણા કર્યા હતા.ત્યારબાદ મુખ્યમંત્રી ગઢડાના સ્વામિનારાયણ મંદિરમાં જળજીલણી એકદાશી કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા.અને 12 વર્ષ બાદ નિકળેલી જળજીલણી પાલખી યાત્રાની પુજા અને આરતી કરી પ્રસ્થાન કરાવ્યુ હતું.

    સાથે મુખ્યમંત્રી દ્વારા BAPS સ્વામિનારાયણના નવા મંદિરનું લોકાર્પણ કર્યું હતું.જ્યાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કર્યા હતા અને વિવિધ વિકાસ કામોની તકતીઓનું અનાવરણ કર્યું હતું.ગોપીનાથજી મંદિર અને જિલ્લા પંચાયત ગઢડાના સહયોગથી તૈયાર થયેલા -હરતા ફરતા આયુર્વેદિક હોમિઓપેથીક દવાખાનાનો શુભારંભ કરાવ્યો હતો.પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં જ્યારે જ્યારે કોઈ કુદરતી આફત આવે ત્યારે મદદ માટે હંમેશા સ્વામિનારાયણ સંપ્રદાય આગળ રહેતો હોય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply