રાજકોટ - આયુષ્મમાન ભારત યોજના અંતર્ગત સર્વપ્રથમ મેગા કેમ્પનો પ્રારંભ
Live TV
-
શહેરના ૯૬૦૦૦ પરિવારોના અંદાજિત પાંચ લાખ નાગરિકોને આરોગ્ય કવચ પૂરું પાડી શકાશે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ ખાતે આયુષ્મમાન ભારત યોજના અંતર્ગત સર્વપ્રથમ મેગા કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. રાજકોટ મહાપાલિકા દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, ગરીબ દર્દીઓની ચિંતા સરકારે કરી છે. નાગરિકો દીર્ઘાયુ અને તંદુરસ્તીસભર જીવન વીતાવે એવી રાજ્ય સરકારની નેમ છે. કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી આયુષ્યમાન ભારત યોજના હેઠળ રાજકોટ શહેરના ૯૬૦૦૦ પરિવારોના અંદાજિત પાંચ લાખ નાગરિકોને આરોગ્ય કવચ પૂરું પાડી શકાશે. મુખ્યમંત્રીશ્રીએ આ કેમ્પમાં પોતાની સંવેદનશીલતાનો પરિચય આપ્યો હતો અને કેમ્પના સ્થળે જઇ લાભાર્થીઓને રૂબરૂ મળ્યા અને તેમની સાથે સંવાદ સાધ્યો હતો. ઉપસ્થિત લાભાર્થીઓને સંબોધતા મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ ઉમેર્યું કે, આયુષ્યમાન ભારતના આ મેગા કેમ્પથી રાજકોટમાં સ્વાસ્થ્ય સુરક્ષાનો નવો સૂર્યોદય થયો છે