રાજકોટ ખાતે થશે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી
Live TV
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ રહેશે ખાસ ઉપસ્થિત
રાષ્ટ્રના આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ૨૬મી જાન્યુઆરી-૨૦૨૦ના રોજ રાજકોટ ખાતે થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં અહીં ધ્વજવંદન કરાવશે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી આણંદ ખાતે જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ વડોદરા ખાતે અને મંત્રી મંડળના સભ્યો અને જિલ્લા કલેકટરશ્રીઓના હસ્તે વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન સમારોહ યોજાશે. જેમાં આર. સી. ફળદુ બનાસકાંઠા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા સુરેન્દ્રનગર, કૌશિકભાઇ પટેલ અમદાવાદ, સૌરભભાઇ પટેલ મહેસાણા, ગણપતભાઇ વસાવા સાબરકાંઠા, જયેશકુમાર રાદડીયા ભાવનગર, દિલીપકુમાર ઠાકોર કચ્છ , ઇશ્વરભાઇ પરમાર ગાંધીનગર , કુંવરજીભાઇ બાવળિયા જૂનાગઢ , અને જવાહરભાઇ ચાવડા સુરત ખાતે ઉપસ્થિત રહેશે.