રાજકોટ: CAAના સમર્થનમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા, CMની ઉપસ્થિતિ
Live TV
-
રાજકોટ ખાતે CAA ના સમર્થનમાં મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓની ઉપસ્થિતિમાં વિશાળ ત્રિરંગા રેલી યોજાઈ છે. રેલીમાં 2 કિલો જેટલો લાંબો ત્રિરંગો લઈ મંત્રીશ્રી જયેશ રાદડીયા, કુવરજી બાવળીયા તથા મોહનભાઈ કુંડારીયા સહિતના આગેવાનો જોડાયા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દેશના પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 370 કલમ હટાવી જનતાને આપેલા વચનોનું પાલન કર્યું છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજકોટની રેલીમાં 50 હજાર કરતાં વધુ લોકોએ જોડાઈને CAAના કાયદાને સમર્થન આપ્યું છે