રાજ્ય સરકારની કેબીનેટ બેઠક યોજાઈ, ખાતર-તુવેર કૌભાંડ અંગે પણ થઈ ચર્ચા
Live TV
-
ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળી હતી..બેઠકમાં તમામ મંત્રીઓએ ,પોતાના મત વિસ્તારનો પાણીની સ્થિતિનો ચિતાર આપ્યો હતો. વધુમાં ખાતરની ઘટ ને લઈને તપાસની સમિતિની રચના કરવા માટે સો સંમત થયા હતા.
કેબિનેટમાં ,પ્રી મોન્સૂનની તૈયારીને લઈને પણ ચર્ચા થઇ હતી. આ ઉપરાંત પાક વિમા, દલિત મુદ્દો અને બજેટ સત્ર વિશે પણ ,ચર્ચા થઇ હતી. કૃષિમંત્રી આર.સી.ફળદુ અને અન્ન નાગરિક પુરવઠામંત્રી જયેશ રાદડિયાએ સંયુક્ત પ્રેસવાર્તા કરી ખાતર તથા તુવેર કૌભાંડ અંગે સરકારે કરેલી કાર્યવાહી અંગે માહિતી આપી હતી.