'વાયુ' વાવાઝાડાની શક્યતાને લઈ વહીવટીતંત્ર સ્ટેન્ડ ટુ: CM
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે વાયુ ચક્રવાતાને પગલે સમગ્ર વહીવટીતંત્ર સ્ટેન્ડ ટુ છે અને ગભરાવાની જરૂર નથી. રાજ્ય સરકારે પ્રજાની મિલ્કતોને નુકશાન નથાય તેવી તમામ વ્યવસ્થા કરી છે. દરમિયાન મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીની અધ્યક્ષપદે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ ગઈ. બેઠકમાં સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં 12 અને 13 જૂનના રોજ શાળા-કોલેજો બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં 13 અને 14 જૂન દરમિયાન યોજાનારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમો મુલતવી રાખવા પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યના પ્રવાસન સ્થળે રહેલાં પ્રવાસીઓને પ્રવાસન સ્થળ છોડીને સલામત સ્થળે જવા સૂચના આપવામાં આવી છે.