વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે 17 એપ્રિલે પ્રધાનમંત્રી કરશે જાહેર સભા
Live TV
-
સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે ત્યારે બંને મોટા રાજકીય પક્ષો પ્રચાર માટે કોઈ કસર છોડવા માંગતી નથી, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્રારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક જાહેર સભા મધ્ય ગુજરાતમાં વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે 17 એપ્રિલે રાખવામાં આવી છે.
સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે ત્યારે બંને મોટા રાજકીય પક્ષો પ્રચાર માટે કોઈ કસર છોડવા માંગતી નથી, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્રારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક જાહેર સભા મધ્ય ગુજરાતમાં વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે 17 એપ્રિલે રાખવામાં આવી છે. પ્રધાનમંત્રીની જાહેર સભાને લઈને અત્યારથી ભાજપના સ્થાનિક કાર્યકરો અને પ્રસાશન દ્રારા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સામાન્ય રીતે પ્રધાનમંત્રી આવવાના હોય ત્યારે સલામતીની પૂરતી કાળજી રાખવામાં આવતી હોય છે, તે માટે અત્યારથી જ પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.