આયુષ્યમાન ભારત : નડિયાદમાં ડાયાલિસીસ સેન્ટરમાં હવે 21 મશીનો કાર્યરત કરાયા
Live TV
-
મુખ્ય મંત્રી અમૃતમાં કાર્ડ અને આયુષ્માન ભારતયોજનાને કારણે અહીં આવતા દર્દીઓને સંપૂર્ણ ફ્રી માં ડાયાલિસિસની સુવિધા પ્રાપ્ત છે
ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ ખાતે આવેલી જનરલ હોસ્પિટલ એટલે કે સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર ચાલે છે. 2014 માં સાત મશીનો સાથે શરૂ થયેલા આ ડાયાલિસીસ સેન્ટરમા હવે 21 મશીનો કાર્યરત છે. જેમાં 2019-નવેમ્બર સુધીમાં 60,124 જેટલા ડાયાલિસિસ થયા છે. અહીં દર મહિને સરેરાશ 1150 વધુ ડાયલીસીસ થઈ રહ્યાં છે. તેમજ મુખ્ય મંત્રી અમૃતમાં કાર્ડ અને આયુષ્માન ભારતયોજના ને કારણે અહીં આવતા દર્દીઓને સંપૂર્ણ ફ્રી માં ડાયાલિસિસની સુવિધા પ્રાપ્ત છે. એટલું જ નહીં તેમને ચા -નાસ્તો ઉપરાંત ભાડા પેટે રૂપિયા ત્રણસો પણ આપવામાં આવે છે.