સુરેન્દ્રનગર : રિક્ષાચાલક ફિરોઝભાઈને એપેન્ડીક્સની નિઃશુલ્ક સારવાર મળી
Live TV
-
આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત ગરીબોને મળી રહી છે મફત સારવાર
કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના દેશના નાગરિકો માટે આશીર્વાદરૂપ બની રહી છે. સુરેન્દ્રનગર શહેરમાં ,રીક્ષા ચાલક ફિરોઝભાઈ ફકીરને, એપેન્ડિક્સનીં તકલીફ હતી. શહેર સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં ,આ ઓપરેશન પાછળ અંદાજીત ખર્ચ 25 હજારથી વધુ થાય તેમ હતો. આર્થિક રીતે અસક્ષમ એવા ,ફિરોઝભાઈ અને તેમના પરિવાર માટે અશક્ય હતું. પણ તેમની વહારે કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજના આવી ,અને આ યોજના થકી રિક્ષા ચાલક ,ફિરોઝભાઈનું એપેન્ડિક્સનું ઓપરેશન તદ્દન ,નિઃશુલ્ક કરી આપવામાં આવ્યું છે. આ યોજનાના લાભથી ફિરોઝભાઈ અને તેમનો પરિવાર ખુશ છે. ફરી એક વખત કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના પ્રજાપયોગી સાબિત થઈ છે.