ઈન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ ઋષિ સુનક બ્રિટનના નવા નાણામંત્રી બન્યા
Live TV
-
ઈન્ફોસિસના સહ સંસ્થાપક રામરાવ નારાયણ મૂર્તિના જમાઈ ઋષિ સુનક એ બ્રિટનના નાણામંત્રીનું પદ સંભાળ્યું..આ પદ પર પહેલા પાકિસ્તાન મૂળના ચાન્સલર સાજિદ જાવીદ હતા..આલોક શર્માને મંત્રીમંડળમાં કારોબાર મંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે..આ સાથે જ હવે પ્રધાનમંત્રી બોરિસ જોનસનના મંત્રીમંડળમાં ભારતીય મૂળના સાંસદોની સંખ્યા ત્રણ થઈ ગયા છે..39 વર્ષીય સુનક કોષાગારના પ્રમુખ મંત્રી બનાવવામાં આવ્યા છે..તેમને જોનસનના નજીકના સહયોગી માનવામાં આવે છે...આ દરમિયાન આંતરરાષ્ટ્રીય વિકાસના પૂર્વ મંત્રી આલોક શર્માનું પ્રમોશન કરીને વેપાર અને ઔદ્યોગિક રણનીતિના મંત્રીની ભૂમિકા સોંપવામાં આવી છે..51 વર્ષીય શર્મા સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન એટલે કે CoP 26ના અધ્યક્ષ પણ હશે..મહત્વનું છે કે નવેમ્બરમાં બ્રિટનના ગ્લાસ્ગોમાં જળવાયુ પરિવર્તન પર મહત્વપૂર્ણ સંમેલન થવાનું છે..