દુબઈમાં બસ દુર્ઘટનામાં 8 ભારતીય સહિત 17 લોકોના મોત થયા
Live TV
-
ઘાયલોને દુબઈની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. દુબઈમાં ભારતીય દુતાવાસ અધિકારીઓએ જણાવ્યું કે, ઘાયલોનો ઇલાજ ચાલી રહ્યો છે. દુબઈ પોલીસે જણાવ્યું કે, બસમાં જુદા-જુદા દેશના 31 પ્રવાસી સવાર હતા.
દુબઈમાં બસ દુર્ઘટનામાં 8 ભારતીય સહિત 17 લોકોના મોત થઈ ગયા. ઘાયલોને દુબઈની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. દુબઈમાં ભારતીય દુતાવાસ અધિકારીઓએ જણાવ્યું કે, ઘાયલોનો ઇલાજ ચાલી રહ્યો છે. દુબઈ પોલીસે જણાવ્યું કે, બસમાં જુદા-જુદા દેશના 31 પ્રવાસી સવાર હતા. આ યાત્રી ઓમાનમાં ઇદ મનાવીને પરત ફરી રહ્યાં હતા. પોલીસે જણાવ્યું કે, બસ-મેટ્રો સ્ટેશનની બહાર એક સાઇન બોર્ડથી અથડાય હતી બાદ અકસ્માત સર્જાયો હતો. બસનનું રજિસ્ટ્રેશન ઓમાન સરકારના નામે છે. અકસ્માત બાદ જેને મસ્ટક અને દુબઇ સુધી ની સેવાને હાલ પુરતી સ્થગિત કરી છે.