નવી દિલ્હી સ્થિત ઉઝબેકિસ્તાન દૂતાવાસમાં પર્યટકો માટે વર્ચ્યુઅલ ટૂરની શરુઆત
Live TV
-
ભારતના લોકો નજીકથી માણી શકશે ઉઝબેકિસ્તાનના ઐતિહાસિક સ્થળો
ઉઝબેકિસ્તાનની ગલીઓની સાથે જ ત્યાંની સાંસ્કૃતિક ધરોહરને ભારતના લોકો સુધી પહોંચાડવા માટે નવી દિલ્હી સ્થિત ઉઝબેકિસ્તાન દૂતાવાસમાં એક વર્ચ્યુઅલ ટૂરની શરુઆત કરવામાં આવી છે. જેમાં તમે સમરકંદ અને બુખારાની ગલીઓની સાથે જ ત્યાંના ઐતિહાસિક સ્થળોને પણ નજીકની માણવાની તક મળશે.
જો તમે ઉઝબેકિસ્તાનની ગલીઓની સાથે જ ત્યાંની સાંસ્કૃતિક ધરોહરને ઉઝબેકિસ્તાનની યાત્રાને નજીકથી જોવા ઈચ્છો છો તો તેના માટે તમારે દિલ્હીમાં ઉઝબેકિસ્તાન દૂતાવાસની મુલાકાત લેવી પડશે. હકીકતમાં ઉઝબેકિસ્તાને પોતાના દેશમાં પર્યટનને વધારો આપવા માટે તાજેતરમાં જ દિલ્હી સ્થિત પોતાના દૂતાવાસમાં એક વર્ચ્યુઅલ ટૂરની શરુઆત કરી છે. જેમાં તમને સમરકંદ અને બુખારાની ગલીઓની સાથે જ ત્યાંના ઐતિહાસિક સ્થળોને પણ નજીકની માણવાની તક મળશે.
આ વર્ચ્યુઅલ ટૂરને એક ભારતીય કંપની રાઉટર્ન ડોટ કોમે તૈયાર કરી છે. આ પહેલનો હેતુ ભારતના લોકોને ઉઝબેકિસ્તાનની કળા અને સંસ્કૃતિ સાથે રુબરુ કરાવવાનો છે. આ સાથે જ ઉઝબેકિસ્તાનના પર્યટન ક્ષેત્રને પણ વધારવાનો છે.