બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મેનાને ન મળી બહુમતી
Live TV
-
નિર્ણય પર અડગ રહેવા બદલ ઘણી ટીકા સહન કરવી પડી - થેરેસા
28 દેશોના સંમેલન બ્રેક્ઝિટમાંથી બહાર નીકળી જવાના ,બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મેના પ્રસ્તાવને ,બહુમતી ન મળતા કોકડુ વધુ ગૂંચવાયું છે. બંને પક્ષોએ ,એક સમજૂતિ પર આવવું પડે ,તેવી પરિસ્થિતિ વચ્ચે ,થેરેસા મેએ જણાવ્યું હતું ,કે, પોતાના નિર્ણય પર ,અડગ રહેવા બદલ ,તેમને ઘણી ટીકાઓ સહન કરવી પડી છે. એક યોગ્ય તથા વ્યવસ્થિત પગલું ભરી ,તેઓ યુરોપીય સંઘમાંથી ,બહાર નીકળવા માંગે છે. સામાન્ય નાગરિકોને ,આ નિર્ણયથી કોઈ તકલીફ નહીં પડે, તેમ પણ ,તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું. આગામી બુધવારે ,એટલે કે દસમી એપ્રિલે ,થેરેસા મે પ્રસ્તાવિત યુરોપિય સંઘના સંમેલનની અધ્યક્ષતા કરશે, જેમાં બ્રેક્ઝિટ સમજૂતિ પર ,30 જૂન સુધીનો સમય આપી ,સમગ્ર મુદ્દા પર, પુનઃ વિચાર કરવા માટે ,અપીલ કરશે