બ્રેક્ઝિટને ટાળવામાં આવે કે નહીં. આ વાત પર હવે મતદાન ગુરુવારે થશે
Live TV
-
બ્રિટનના સાંસદોએ યુરોપીયન સંઘથી કોઈપણ સમજૂતી વગર બહાર નિકળવા માટેના પ્રસ્તાવને 308 સામે 312 વોટથી નામંજૂર કર્યો છે
બ્રિટનના સાંસદોએ યુરોપીયન સંઘથી કોઈપણ સમજૂતી વગર બહાર નિકળવા માટેના પ્રસ્તાવને 308 સામે 312 વોટથી નામંજૂર કર્યો છે. આ કાયદાકીય રીતે બંધનકર્તા નિર્ણય નથી અને આનો અર્થ એ નથી કે, યુ.કે. યુરોપીય સંઘથી બહાર નહીં નિકળે. પણ આનો અર્થ એ છે કે, સંસદ એ વાત પર વોટિંગ કરી શકે છે કે, બ્રેક્ઝિટને ટાળવામાં આવે કે નહીં. આ વાત પર હવે મતદાન ગુરુવારે થશે. જો બ્રેક્ઝિટને ટાળવાનું ફરમાન પસાર થઈ જાય અને યુરોપીય સંઘ આ મામલે તૈયાર થઈ જાય છે તો યુ.કે. પહેલાથી નક્કી થયેલી તારીખ 29 માર્ચે , યુરોપીય સંઘથી બહાર નહીં જઈ શકે.