ભારત સરકારે બોઇંગ 737-મેક્સ 8 વિમાનો પર ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવ્યો
Live TV
-
ભારત સરકારે આજથી બોઇંગ 737-મેક્સ 8 વિમાનો પર ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઇથોપિયામાં વિમાન અકસ્માતને કારણે ભારત સરકાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. આ અકસ્માતમાં 157 પ્રવાસીઓનાં મોત થયા હતા જેમાંથી 6 પ્રવાસી ભારતીય હતા. નોંધનીય છે કે છેલ્લા પાંચ મહિનામાં 737-મેક્સ 8 વિમાનમાં આ બીજો અકસ્માત સર્જાયો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ અંગે જણાવ્યું હતું કે આજે સાંજે ચાર વાગ્યાથી કોઈપણ બોઇંગ 737-મેક્સ 8 વિમાનને ભારતમાં પ્રવેશ કરવાની કે ભારતના અવકાશ માર્ગથી આવવા-જવાની મંજૂરી આપવામાં નહીં આવે. મહત્વનું છે કે સ્પાઇસ જેટના વિમાનોમાં લગભગ 12 બોઇંગ 737-મેક્સ 8 અને જેટ એરવેઝના વિમાનમાં પાંચ આ પ્રકારના વિમાન સામેલ છે.