શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે આવશે ભારતની મુલાકાતે
Live TV
-
રાષ્ટ્રપતિ બન્યા પછીની પ્રથમ વિદેશ યાત્રા
વિતેલા પંદર વર્ષથી શ્રીલંકા સાથે ભારતના સંબંધોમાં ઘટાડો થયો છે જેના પરિણામ રુપે શ્રીલંકા અને ચીનના સંબંધોમાં સુધારો જોવા મળ્યો. આજ કારણ છે કે ભારત નવી રાજકીય સ્થિતિઓ મુજબ શ્રીલંકા પર પોતાનુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ગોટાબાયા રાજપક્ષે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ બન્યા છે અને પીએમ મોદીએ તેમને ભારત આવવા માટે નિમંત્રિત કર્યા છે. જેનો તેમણે સ્વીકાર કર્યો છે. રાષ્ટ્ર્પતિ બન્યા પછી તેઓ પહેલી વિદેશ યાત્રા ભારતની કરશે.