સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીને અમદાવાદ વિમાન મથકેથી ભાવસભર વિદાય અપાઈ
Live TV
-
ગુજરાતના પ્રવાસે પધારેલા સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીને અમદાવાદ વિમાન મથકેથી ભાવસભર વિદાય આપવામાં આવી.
આ તકે રાજ્યના પ્રોટોકોલ અને સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર, ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ (GAD) એ.કે. રાકેશ, અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, ઈ.કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા, લેબર કમિશ્નર અનુપમ આનંદ સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી સુરીનામના રાષ્ટ્રપતિને વિદાય આપી હતી.
