અયોધ્યા કેસમાં આગામી સુનાવણી 25 જુલાઈએ
Live TV
-
સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલામાં સુનાવણી વેળા મધ્યસ્થતા સમિતિને પોતાનો રિપોર્ટ દાખલ કરવા કહ્યું. અદાલત 25 જુલાઈએ એ નક્કી કરશે કે આ કેસમાં આગળ શું કરવું છે. મધ્યસ્થતા સમિતિની રિપોર્ટ આવવા પર કોર્ટ એ નિર્ણય લેશે કે સફળ રહી કે નહીં. આ પહેલા સુનાવણી દરમિયાન નિર્મોહી અખાડાએ કહ્યું કે મધ્યસ્થતા સમિતિ કોઈ પણ નિર્ણય પર પહોંચવા માટે નિષ્ફળ રહી અને હવે આ કેસને બંધારણીય બેન્ચ દ્વારા સાંભળવો જોઈએ.