અયોધ્યા કેસ મામલે સુપ્રીમ કોર્ટ ગમે ત્યારે આપી શકે છે ચૂકાદો
Live TV
-
ગૃહમંત્રાલયે રાજ્યોને એડવાઇઝરી જાહેર કરી
અયોધ્યા મામલે સુપ્રીમનો નિર્ણય 17 નવેમ્બરથી ક્યારેય પણ આવી શકે છે. રાજ્યોને ગૃહમંત્રાલયે એડવાઇઝરી જાહેર કરી છે. નિર્ણય પહેલાં ઉત્તરપ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા મજબુત કરી દેવામાં આવી છે. સાથે જ અર્ધસૈનિક દળોના વધુમાં વધુ જવાનોને યુપી મોકલવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગુ કરવામાં આવી છે. અયોધ્યાની સુરક્ષામાં સિવિલ પોલીસની સાથે પીએસી, આરપીએફ તૈનાત કરવામાં આવી છે. આ સાથે એટીએસ પણ અહીં નજર રાખી રહી છે. ગુપ્ત એજન્સીને સતર્ક રાખી ડ્રોન કેમેરાથી અયોધ્યા પર નજર રાખવામાં આવશે. અયોધ્યાના તમામ એન્ટ્રી પોઇન્ટ પર બેરિયર લગાવીને ચેકિંગ કરવામાં આવશે. આ તમામ વચ્ચે સમાજના તમામ પ્રતિનિધિઓએ સુપ્રીમના નિર્ણયનું સન્માન કરવાની અપીલ કરી છે..માનવામાં આવે છે કે આ અત્યંત સંવેદનશીલ કેસમાં, 17 સુપ્રીમ કોર્ટ નવેમ્બર પહેલાં પોતાનો ચુકાદો આપે તેવી સંભાવના છે કારણ કે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ તે જ દિવસે નિવૃત્ત થઈ રહ્યા છે. તેઓ જમીન વિવાદના કેસમાં બંધારણની બેંચનું નેતૃત્વ કરી રહ્યા છે.