આંધ્રપ્રદેશના ગુંટૂરમાં બાયો ફ્લુયલ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરતા પ્રધાનમંત્રી
Live TV
-
ક્રિષ્ણા ગોદાવરી બેસિન પર બનેલી આ પરિયોજના 57 કરોડ રૂપિયાને ખર્ચે તૈયાર થઇ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દક્ષિણ ભારતના ત્રણ રાજ્યોના પ્રવાસે છે. તેઓ તેઓ આ પ્રવાસ દરમિયાન આંધ્રપ્રદેશના ગુંટૂર પહોંચ્યા હતા. ત્યા તેમણે ક્રિષ્નાપટનમમાં બનતા ભારત બાયો ફ્લુયલ પ્લાન્ટનું ખાતમુર્હત કર્યું હતું. જે આંધ્રપ્રદેશ અને તેલગાણામાં પાઈપલાઈન નેટવર્કનું કેન્દ્ર બનશે. ગુંટૂરમાં તેમણે ઉપરાંત ONGCના એસ-વન વશિષ્ઠ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું પણ ઉદઘાટન પણ કર્યું હતું. ક્રિષ્ણા ગોદાવરી બેસિન પર બનેલી આ પરિયોજના 57 કરોડ રૂપિયાને ખર્ચે તૈયાર થઇ છે. હાલ આ પરિયોજનાથી રોજ 40 લાખ કયૂબીક મીટર ગેસ ઉત્પન્ન થાય છે. પ્રધાનમંત્રી ત્રીજી પરિયોજના અંતર્ગત ઇન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડની 1.33 એમ એન્ડ ટી ક્ષમતાવાળી સુવિધાનું લોકાર્પણ કર્યું હતું તેમણે જનસભાને સંબોધતા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પર આકરા પ્રહાર કર્યાં હતા