આજે રાત્રે 10 વાગ્યા પછી બંગાળમાં કોઈ પણ પક્ષ ચૂંટણી પ્રચાર કરી શકશે નહિં: ચૂંટણીપંચ
Live TV
-
પં.બંગાળમાં અમિતશાહના રોડ-શો દરમિયાન થયેલી હિંસા મામલે ચૂંટણીપંચે રાજ્ય સરકારને કડક આદેશ આપતા જણાવ્યું ,કે હાલ રાજ્યમાં જે થઈ રહ્યું છે, તે યોગ્ય નથી. ચૂંટણી પંચે ,બંધારણની કલમ 324ની જોગવાઈ મુજબ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારની સમય મર્યાદા ટૂંકાવી છે.
પં.બંગાળમાં અમિતશાહના રોડ-શો દરમિયાન થયેલી હિંસા મામલે ચૂંટણીપંચે રાજ્ય સરકારને કડક આદેશ આપતા જણાવ્યું ,કે હાલ રાજ્યમાં જે થઈ રહ્યું છે, તે યોગ્ય નથી. ચૂંટણી પંચે ,બંધારણની કલમ 324ની જોગવાઈ મુજબ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારની સમય મર્યાદા ટૂંકાવી છે. જે ચૂંટણી પ્રચાર શુક્રવારે સાંજે પૂરો થવાનો હતો, તે આજે રાતે 10 વાગ્યા સુધી જ થઈ શકશે. અર્થાત બંગાળમાં આજે રાત્રે 10 વાગ્યા પછી બંગાળમાં કોઈ પણ પક્ષ ચૂંટણી પ્રચાર કરી શકશે નહિં. ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવા બદલ રાજ્યના મુખ્ય સચિવ ભટ્ટાચાર્યને પદ પરથી કાર્યમુક્ત કર્યા. ઉપરાંત એડીજી સીઆઈડી રાજીવકુમારને પણ તેમના પદ પરથી દૂર કર્યા છે.