કરતારપુર કોરિડોર માટે ભારત અત્યાધુનિક યાત્રી ટર્મિનલ ભવનનું નિર્માણ કરશે
Live TV
-
કોરીડોરને વીઝા ફ્રી રાખવામાં આવે. ભારતે આ પ્રોજેક્ટના પહેલા તબક્કામાં રોજના 5000 શ્રદ્ધાળુઓને એક્સેસ કરવાની માગ કરી છે. આ મુદ્દે વધુ ચર્ચા માટે આગામી બેઠક 2 એપ્રિલે યોજાશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે કરતાર પુર કોરિડોર વિશે ચર્ચા કરવા માટે અટારી વાઘા બોર્ડર પર પહેલી બેઠક યોજાઈ હતી. આ બેઠક ગુરુનાનક દેવની 550 મી જન્મ જયંતિએ કરતારપુર કોરિડોરને શરૂ કરવા માટે કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણયને ધ્યાનમાં રાખીને કરાઈ છે. બેઠક મુજબ કરતારપુર કોરિડોર માટે ભારત અત્યાધુનિક યાત્રી ટર્મિનલ ભવનનું નિર્માણ કરશે. આ ટર્મીનલ ભવન 190 કરોડના ખર્ચે તૈયાર થશે. જેમાં યાત્રીઓની તમામ સુખ-સુવિધાઓનું ધ્યાન રખાશે. સાથે જ ભારતે માગ મુકી છે,કે આ કોરીડોરને વીઝા ફ્રી રાખવામાં આવે. ભારતે આ પ્રોજેક્ટના પહેલા તબક્કામાં રોજના 5000 શ્રદ્ધાળુઓને એક્સેસ કરવાની માગ કરી છે. આ મુદ્દે વધુ ચર્ચા માટે આગામી બેઠક 2 એપ્રિલે યોજાશે.