કેન્દ્રીય મંત્રીમંડળે ટ્રાંસજેડર વ્યક્તિ અધિકારોના સુરક્ષા વિધેયક 2019ને મંજૂરી આપી
Live TV
-
કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી સડક યોજનાના ત્રીજા ચરણના વિસ્તાર માટે આપી મંજૂરી- ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના સામાજિક- આર્થિક અને સ્વૈચ્છિક સશક્તિકરણ માટે ટ્રાન્સજેન્ડર ખરડો-2019 ને મંજૂરી- બાળકો વિરૂદ્ધ લૈંગિક અત્યાચાર પર રોક માટે પોકસો ને વધુ અસરકારક બનાવવા પણ મંજૂરી.
કેન્દ્રીય મંત્રીમંડળની આજની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. સરકારે પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનાના ત્રીજા ચરણને મંજૂરી આપી દીધી છે. આ ઉપરાતં કેન્દ્રીય મંત્રીમંડળે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓની સુરક્ષા અને અધિકારોને લઈ બિલને મંજૂરી આપી છે.
આમાં તેમના આર્થિક, સામાજિક અને સ્વૈચ્છિક સશક્તિકરણનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ માહિતી આપતાં જણાવ્યું કે, જેઓ ટ્રાન્સજેન્ડર છે. જે કોઈ અપરાધ નથી. તેમને એક ઓળખનો હક આપવાનો મંત્રીમમંડળમાં નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સાથે સરકારે બાળકોના થતા શોષણને અટકાવવા માટે યૌન અપરાધોનથી રક્ષણ સંબંધિત નિયમને વધુ અસરકારક બનાવતા બિલને પણ મંજૂરી આપી છે. સરકારે પોકસો કાનૂનમાં સંશોધન કરવા પર સહમતી દર્શાવી છે.