કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ પોતાના બ્લોગમાં વિપક્ષ પર કર્યા પ્રહાર
Live TV
-
વિપક્ષના જુઠ્ઠાણાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરૂદ્ધ વ્યકિતગત ધૃણા ગણાવી હતી
કેન્દ્રિયમંત્રી અરૂણ જેટલી એ પોતાના બ્લોગમાં વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે વિપક્ષ પર સરકાર વિરુદ્ધ જુઠુ પ્રચાર અભિયાન ચલાવવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ તેમણે એવુ પણ જણાવ્યુ કે આ જુઠ્ઠા પ્રચાર અભિયાનની જનતા પર કોઈ અસર પડી નથી. તેમણે વધુંમા જણાવ્યુ હતુ કે જુઠ્ઠાણાની ઉંમર ઘણી ઓછી હોય છે. અરૂણ જેટલીએ પોતાના બ્લોગમાં રાફેલ ,બેંકોની સ્થિતિ,સંસ્થાઓના કામકાજમાં દખલ અને ભાગેડુ આર્થીક અપરાધીઓ ને લઈ વિપક્ષના દુષ્પ્રચાર પર નિશાન સાધ્યુ હતું. અને તેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરૂદ્ધ વિપક્ષની વ્યકિતગત ધૃણા ગણાવી હતી