ગૃહમંત્રી અમિત શાહે ચક્રવાત "વાયુ" અંગે ઉચ્ચ કક્ષાની બેઠક યોજી
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચક્રવાત "વાયુ" થી સર્જાયેલી સ્થિતિનો સમાનો કરવા ,થઈ રહેલી તૈયારીની સમીક્ષા કરવા ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવી હતી. સંબંધિત કેન્દ્રીય મંત્રાલયો અને એજન્સીઓને બેઠકમાં સૂચનાઓ આપવામાં આવી હતી. સમીક્ષા પછી ગૃહમંત્રીએ સંભવિત પ્રભાવિત લોકોના સ્થળાંતર અને નુકસાન થવાના સંજોગોમાં વીજળી પાણી સંચાર આરોગ્ય જેવી સેવાઓ તાકીદે બહાલ ખાય તેવી તકેદારી રાખવા અધિકારીઓને સૂચના આપી હતી. નિયંત્રણ કક્ષને 24 કલાક ચાલુ રાખવાના પણ આદેશ કર્યા હતા. "વાયુ" વાવાઝોડું ત્રાટકવાના સંજોગોમાં કચ્છથી માંડીને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારમાં,એલર્ટ જેવી સ્થિતિ છે. કેન્દ્ર સરકાર પણ પૂરી સ્થિતિ પર નજર રાખી રહી છે. કેબિનેટ સચિવે પણ, નેશનલ ક્રાઈસિસ મેનેજમેન્ટ કમિશનની બેઠક બોલાવીને વાયુ વાવાઝાડોને કારણે સર્જાયેલી સ્થિતિનો સામનો કરવા થયેલી તૈયારીની સમીક્ષા કરી હતી.