જનસંખ્યા ભારતની પૂંજી પણ, પડકાર પણઃ સ્વાસ્થય મંત્રી હર્ષવર્ધન
Live TV
-
વિશ્વ જન સંખ્યા દિવસ અંગે વિજ્ઞાનભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં પરિવાર કલ્યાણ એવં સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે, દેશની આઝાદીથી લઈને આજ સુધીમાં ભારતની જન સંખ્યામાં ઘણો વધારો થયો છે.
તેમણે જણાવ્યુ હતું કે, જનસંખ્યા એક તરફ ભારતની એક પૂંજી પણ છે સાથો સાથ તેની બીજી તરફ તે એક પડકાર પણ છે. મર્યાદિત સંશાધનોની વચ્ચે જનસંખ્યામાં વધારાના પડકારને પહોંચી વળવા માટે જાગૃતતા અને સાચી માહિતી જરૂરી છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અશ્વિની ચૌબેએ જણાવ્યુ હતું ,કે, વર્ષ 2001 થી 2011ની વચ્ચે જન્મદરમાં ઘટાડો નોંધાયો છે.
તે મંત્રાલયની તરફથી ચલાવવામાં આવી રહેલા કાર્યક્રમ અને જાગૃતતા અભિયાનોના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે. તેમણે કહ્યું કે, મંત્રાલય પરિવાર નિયોજન માટે, કેટલાય પ્રોત્સાહન આપનારા કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે.