જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણો ઉઠાવવા પર SCનો નિર્ણય
Live TV
-
સ્થિતિ પુન:સ્થાપિત કરવા સરકારને સમય આપવો જરૂરી
સર્વોચ્ચ અદાલતે જમ્મુ-કાશ્મીર માં અનુચ્છેદ 370 હટાવ્યા બાદ લગાવવા માં આવેલ તમામ પ્રતિબંધો હટાવવા સંબંધિત અરજી પર કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર સરકારને કોઈ પણ પ્રકારનો નિર્દેશ આપવાનો ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તેઓ પરિસ્થિતિ સામાન્ય થવાની રાહ જોશે અને આ મામલે બે અઠવાડિયા પછી સુનાવણી કરશે. સુનાવણી દરમ્યાન સર્વોચ્ચ અદાલતે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં પ્રવર્તમાન સ્થિતિ અત્યંત સંવેદનશીલ છે અને ત્યાં સ્થિતિ સામાન્ય થવા માટે થોડો સમય આપવો જોઈએ.