ડુંગળીના ભાવ આસમાને, ગ્રાહક બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને કરી સમીક્ષા
Live TV
-
આ સ્થિતિ જોતા ડુંગળીની નિકાસ અટકાવાશે અને રીટેલર અને હોલસેલર અનુક્રમે 10 અને 15 મેટ્રીક ટન થી વધુ જથ્થો સંધરી શકશે નહી.
ગ્રાહક બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને દેશભરમાં ડુંગળીની ઉપલબ્ધતા અને તેના ભાવની બુધવારે સમિક્ષા કરી હતી. તેમણે ગ્રાહક બાબતોના સચિવો , તેમજ અન્ય સબંધિત વરિષ્ઠ અધિકારીઓ સાથે ડુંગળીના ભાવ અંગે નવી દિલ્હીમાં બેઠક યોજી સમિક્ષા કરી હતી.
બેઠક બાદ પાસવાને કહયું હતું કે, સરકાર ડુંગળીના વધતા ભાવને કાબુમાં લેવા માટે તમામ પગલાં લેશે. તેમણે કહયું કે દેશમાં ડુંગળીનો 56 હજાર 700 ટનનો બફર સ્ટોક રખાશે, જેમાં 1,225 ટનનો જથ્થો નાફેડ પાસે છે.