દેશભરમાં બંધારણના ઘડવૈયા ડૉ.ભીમરાવ આંબેડકરની 128મી જન્મજ્યંતિ ઉજવવામાં આવી
Live TV
-
દેશભરમાં આજે બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની 128મી જન્મજ્યંતિ ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં પણ સાળંગપુરમાં આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને વિવિધ સામાજીક સંસ્થાઓ તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ પુષ્પાજંલિ અર્પી હતી. ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર ડૉ. કિરીટ સોલંકીએ તેમજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણનવીસે બાબાસાહેબની પ્રતિમાને સુતરની આંટી પહેરાવતા કહ્યું હતું કે, બાબા સાહેબ અનુસુચિત જાતિના જ નહીં પરંતુ 130 કરોડ લોકોના નેતા છે. કાર્યક્રમમાં રાજકીય પક્ષોના કાર્યકરો, સામાજીક કાર્યકરો તથા બીજા અનેક સંગઠનોના કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પી હતી.
લોકસભાની ચૂંટણીના મતદાનને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉમેદવારો દ્વારા પ્રચાર કાર્યમાં વેગ આવી રહ્યો છે. આજે અમદાવાદમાં ગાંધીનગર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ડૉ. સી.જે.ચાવડાએ ચાંદલોડિયા ખાતે આંબેડકર જયંતિ નિમિત્તે રેલીમાં ભાગ લઈ પ્રચાર કર્યો હતો. તેમજ ડોર ટુ ડોર લોક સંપર્ક કરી કોંગ્રેસને મત આપી પોતાને જીતાડવાની અપીલ કરી હતી.