દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઇ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યોજશે સમીક્ષા બેઠક
Live TV
-
સમગ્ર દેશમાં કોરોનાના ઝડપથી વધી રહેલા કેસને પગલે સરકાર સતર્ક બની છે. વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા વિવિધ પગલાઓ હાથ ધરવામાં આવી રહ્યાં છે. પ્રત્યેક દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કોરોના નિવારણ સંબંધિત કાર્યોની સમીક્ષા કરતા હોય છે. ત્યારે સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આજે સાંજે 4.30 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજશે. જે અંતર્ગત દેશમાં વધી રહેલું કોરોના મહામારીનું સંક્રમણ તેમજ ઓમિક્રોનનાં વધતાં કેસ, સરકાર દ્વારા ઉભી કરવામાં આવેલ તબીબી વ્યવસ્થાઓ અને રસીકરણ અભિયાનમાં થયેલી પ્રગતિની અંગે વિસ્તૃતપણે સમીક્ષા કરવામાં આવશે.
