દેશ શહીદોના બલિદાનને ક્યારેય નહીં ભૂલે: PM
Live TV
-
પુલવામા હુમલાની પ્રથમ વરસી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુલવામાના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી..પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશ શહીદોના બલિદાનને ક્યારેય નહીં ભૂલે..પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે જવાનોએ રાષ્ટ્રની સેવા અને રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું..તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી..કેન્દ્રીય ગૃહમંત્રીએ ટ્વીટમાં કરીને લખ્યું કે જવાનો અને તેમના પરિવારનું ભારત હંમેશા આભારી રહેશે...શહીદોએ માતૃભૂમિના સાર્વભૌમત્વ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું....
આજે પુલવામાના લેથપોરામાં શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી..લેથપોરામાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે, આજે આ સ્મારકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું..અને ત્યાં શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી..2019માં આ જ દિવસે પુલવામા હુમલામાં CRPFના 40 જવાન શહીદ થયા હતા..